માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?
સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.
બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.
108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.
માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.
Monday, July 26, 2010
Thursday, July 8, 2010
ALL In ONE - Health Fitness..VERY INTERESTING!!
Health - Very Very Important Tips
Answer the phone by LEFT ear .
Do not drink coffee TWICE a day
Do not take pills with COOL water .
Do not have HUGE meals after 5pm.
Reduce the amount of OILY food you consume.
Drink more WATER in the morning, less at night.
Keep your distance from hand phone CHARGERS .
Do not use headphones/earphone for LONG period of time.
Best sleeping time is from 10pm at night to 6am in the morning .
Do not lie down immediately after taking medicine before sleeping.
When battery is down to the LAST grid/bar, do not answer the phone as the radiation is 1000 times.
Answer the phone by LEFT ear .
Do not drink coffee TWICE a day
Do not take pills with COOL water .
Do not have HUGE meals after 5pm.
Reduce the amount of OILY food you consume.
Drink more WATER in the morning, less at night.
Keep your distance from hand phone CHARGERS .
Do not use headphones/earphone for LONG period of time.
Best sleeping time is from 10pm at night to 6am in the morning .
Do not lie down immediately after taking medicine before sleeping.
When battery is down to the LAST grid/bar, do not answer the phone as the radiation is 1000 times.
Tuesday, July 6, 2010
IMP: b4 marriage ask some IMP ? to ur spouse
સિરિયલ કિલર ( Kill Her ? )"
હાંકું ક્યારે, કાસળ કાઢું? ઓ સિરિયલ ફિવર..!!
મારું તને, મસળી કાઢું? ઓ સિરિયલ Kill Her..!!
પ્રિય મિત્રો,
હમણાં થોડા માસ અગાઉ, એક યુવા મિત્રનાં લગ્ન થયાં, બહારગામ હોવાથી હું, તે લગ્ન ઍટેન્ડ ન કરી શક્યો, તેથી એક દિવસ રાત્રીના, નવ વાગ્યાની આસપાસ, તેના લગ્નના અભિનંદન પાઠવવા,તેના વિશાળ બંગલે, હું પહોંચી ગયો.
મેં જોયુંકે, અલગ-અલગ રૂમમાં, ત્રણ થી ચાર ટીવી સેટમાં, અલગ-અલગ સિરિયલ્સના, મોટા અવાજથી, તે યુવા મિત્રના બંગલો, ગાજતો હતો અનેયુવા મિત્ર અને તેના આધેડ ઉંમરના પિતા, બંગલાની બહાર આવેલી, નાની અલાયદી, ગાર્ડન જેવી જગ્યામાં,બાંગ્લાદેશી નિરાશ્રિત જેવા, ભાવ ધારણ કરીને, એકલાઅટૂલા બેઠા હતા.
યુવા મિત્રને, લગ્નના અભિનંદન પાઠવીને, કવર આપવાનો વ્યવહાર પતાવ્યા બાદ, મારા માટે, જાતે પાણીનો ગ્લાસ લઈને આવેલા, યુવા મિત્રને, અમસ્તુંજ કહ્યું," અરે તમે શા માટે તસ્દી લીધી? આપનાં મિસિસને કહેવું હતુંને? આમ પણ, મારે તેમને, પ્રથમવાર મળવાની ઈચ્છા હતી, ક્યાં છે તે?" એટલું કહીને મેં, ભોળાભાવે, આસપાસ નજર કરી.
પેલા યુવા મિત્ર, ભોંઠા પડી ગયા અને પોતાની નવવિવાહિત પત્નીને બોલાવવા, બંગલામાં ચાલ્યા ગયા.
હવે, હું અને પેલા યુવા મિત્રના, પિતા બંને એકલા પડતાંજ, સમય પસાર કરવા, મને વળી કમતિ સૂઝીકે, ભોળાભાવે તેમને, મેં પ્રશ્ન કર્યો, " અંકલ, મને લાગે છેકે, આપને ટીવી જોવાનો શોખ નથી..!!
"બ.....સ...!! મારા માટે, ઘરની વહુ,દીકરીને બદલે, દીકરાને પાણી લઈને આવવું પડ્યું, તે જોઈ, મનમાં ક્યારનાય ધુંધવાઈ રહેલા, ઘરના વડીલ અંકલ, મારાથી કોઈ ઍટમબોંબની જામગરી ચંપાઈ ગઈ હોય અને જેમ જોરદાર ઘડાકા સાથે બોંબ ફૂટે, તેમ પેલા અંકલ ફાટ્યા.
" આ રાં...ડ....ની !! સિરિયલોએ તો, ઘરસંસારનો, દાટ વાળ્યો છે. સાલું..!! મારે ચ્હા-પાણી જોઈએ તો પણ, બ્રેકમાં મળે. રોજ સાંજ પડેને, બધી ચેનલોમાં કામ કરતાં બૈરાં, તાલેમાલે તૈયાર થઈને, એકમેક સાથે, મોંઢાં ને હોઠ વાંકાચૂકા કરીને, લઢવાનું ચાલું કરે તે, છેક આપણા પથારીમાં પડતા સુધી, એવડીઓની ઘાંટાઘાંટથી આખું ઘર ગાજે...!!
તેમણે આક્રોશથી ઉમેર્યું , " આપણા સગાંમાં, કોઈનો જન્મદિવસ હોય તે, કોઈને યાદ ના હોય પણ, કઈ સિરિયલમાં , કેટલા વાગે, કોનો ભવ્ય, મહા ઍપિસોડ આવવાનો છે, તે આ બધીયું યાદ રાખે..!!"
એટલામાં,પેલા યુવા મિત્ર, તેમની નવવિવાહિત પત્નીને લઈને આવ્યા. તેણે ઉતાવળે, મને પગે લાગવાનો અભિનય કર્યો, જોકે તે દરમિયાન પણ તે પત્નીની નજર, સિરિયલનો બ્રેક પુરો ન થઈ જાય, તેમાં હતી,તેમ મને લાગ્યું. આજ કારણે, તે આવી હતી, તેવીજ પરત રવાના થઈ. એની પાછળ - પાછળ કારણ વગર,પેલા યુવા મિત્ર પણ, અંદર ચાલતા થયા.રખેને...!! પેલા અંકલ, ગુસ્સાના ફૂટેલા બોંબમાંથી, મને અકળામણ થાય તેવો ધુમાડો, ફરીથી છોડવાનું શરૂ કરે, તે પહેલાં હવે ત્યાંથી રવાના થવાનું, મને ડહાપણભરેલું લાગ્યું. હું રજા લઈને, બંગલાની બહાર આવ્યો.જોકે, કોણ જાણે કેમ...!! પેલા યુવા મિત્રના, પિતાજી તો બોંબ ધડાકાની જેમ ફૂટ્યા તે સાવ સ્વાભાવિક લાગ્યું, પણ મને પેલા તાજા પરણેલા, યુવા મિત્રના ચહેરા, ચાલ, હાવભાવ અને રંગઢંગ પરથી, તેમના નવાસવા, લગ્નજીવનમાં પણ ,સાવ સુરસુરિયું થઈ ગયું હોય તેવો ભાસ થયો. આમતો બેચાર દિવસ પછી, તે યુવા મિત્ર મને મળતાંજ, મારાથી ન રહી શકાતાં, મેં તેને આ બાબતે પૂછ્યું તો તેણે, પોતાનો જે બળાપો કાઢ્યો, તે કુંવારા, પરણેલા અને રાંડેલા પણ ફરી લગ્નોત્સુક, તમામને માટે માર્ગદર્શકરૂપ હોવાથી, તેનાજ શબ્દોમાં રજૂ કરવાની, ધૃષ્ટતા આચરી રહ્યો છું. યુવા મિત્ર ઉવાચ; " જો મારી સલાહ માનો તો, જેમને તાજેતરમાં લગ્ન કરવાની ઈચ્છા હોય અને છોકરીઓ જોવા જતા હોય તે સર્વેને વિનંતીકે, *કન્યાને રાંધતાં આવડે છેકે નહીં ? કપડાંને ઈસ્ત્રી કરતાં આવડે છેકે નહીં? કે પછી અભ્યાસના અને તેના શોખના બારામાં, આલતુફાલતુ સવાલો કરવાને બદલે, * કન્યાને, ટીવી કેટલા કલાક જોવાનો શોખ છે? સિરિયલ જોવી ગમેકે ડિસ્કવરી ચેનલ? ન્યૂઝ ગમેકે, હૉરર ફિલ્મો? (DVD). આ પૂછપરછ કરવી વધારે હિતાવહ છે.* આ ઉપરાંત, ઘરમાં જમવાનું, સિરિયલ્સ વચ્ચેની બ્રેકમાં મળશેકે, સિરિયલ્સ શરૂ થતાં પહેલાં? (સાંજે છ વાગે?) તે ખાસ પૂછવું..!!* જો ટીવી સિરિયલ્સ, રાત્રે ૧૨.૦૦ સુધી ચાલવાની હોય તો, રાત્રે પ્રણયક્રિડાનો લાભ પણ, `બ્રેકાઈ, બ્રેકાઈ` ને મળશે કે સુવાંગ, સુંદર, અખંડ? (MOST IMP.)* સિરિયલ્સમાં આવતી, મોં - માથા વગરની કથા-વાર્તાની ચર્ચામાં, તમારે તેની સાથે ભાગ લેવો ફરજિયાત હશેકે, મરજીયાત ? (MOST IMP.)* સિરિયલ્સમાં બતાવેલાં, સાસુ - વહુનાં, એકબીજા વિરૂદ્ધનાં કારસ્તાન,ઘરમાં અમલમાં મૂકીને, તેનાં પરિણામમાં, તમને તો ઈન્વોલ્વ નહીં કરેને...!! (MOST IMP.)ટીવીનું બંધાણ એક રોગ ?મિત્રો, ટીવીનું બંધાણ એક રોગ છે. અમેરિકન ઍક્ટિવિસ્ટ અને લેખક -`Jerry Mander`, તેના ૧૯૭૭માં પ્રકાશિત થયેલા પુસ્તક,` Four Arguments for the Elimination of Television` માં ` ટીવીના બકવાસ કાર્યક્રમોના બંધાણી શું કહે છે..!!` તે દર્શાવતાં જણાવે છેકે, * મને ટીવીએ હિપ્નોટાઈઝ કર્યો હોય તેમ લાગે છે.* ટીવીએ, જાણે મારી તમામ જીવન શક્તિને હણી લીધી છે.* ટીવીએ મને ક્યાંયનો નથી રાખ્યો.* મને ટીવીએ ભાવશૂન્ય - જાદુથી જીવતી થયેલી લાશ જેવો કરી નાંખ્યો છે.* ટીવી ચાલુ હોય ત્યારે હું તેની સામેથી નજર હટાવી નથી શકતો. ડિરેક્ટર ઓફ ધ સેન્ટર ફોર મિડીયા સ્ટડીઝ - `MR. Robert Kubey`, ના જણાવ્યા પ્રમાણે ( (Scientific American, February 2002) , " "Television Addiction Is No Mere Metaphor,As one might expect, people who were watching TV when we beeped them reported feeling relaxed and passive." એકવાર, આશરે ૭૦ વર્ષના, એક કાકા સાથે આ અંગે ચર્ચા કરતાં તેમણે અકળાઈને કહ્યું," સાલું...!! તારી કાકીના રાંધવામાં પહેલેથી ઠાયો ન મળે તેથી આખી જિંદગી,તેના હાથનું રાંધેલું, કાચું પાકું ખાધું. હવે તેમને, સિરિયલ્સને કારણે, સાંજે રાંધવાનો ટાઈમ નથી.તેથી બજારનું પંજાબી, ચાઈનીઝ, વડા પાંઉં - ભાજી પાંવ, જેવું જથરવથર ખાઈને, મારું તો પેટ બગડી ગયું છે. " તેમણે અત્યંત દુઃખી અવાજે ઉમેર્યું," જમવાની જરૂર જ ના પડે તેવી કોઈ યોનિમાં, હવે તો નવો જન્મ મળે તો સારૂં...!!" બેચાર દિવસ માટે રહેવા આવતા મહેમાન, આજ કારણસર આવતા ઓછા થઈ ગયા છે. જોકે, કેટલાક મહેમાન તો આવે છેય ખરા અને નફ્ફટાઈથી, યજમાનના ઘરના ટીવીનો કબજો લઈને, ઘરના સદસ્ય, ખાસ કરીને બહેનોની નારાજગી વહોરી લે છે.સાયકૉલોજીકલ રિસર્ચ મુજબ, ટીવી નું બંધાણ,સાચેજ ચિંતાનું કારણ છે.ટીવીનું બંધાણ છોડવાના સરળ ઉપાય.આ માટે તમે શાંતિથી વિચારોકે, ટીવીનું બંધાણ તમને નીચે જણાવેલ બાબતો, ન કરવા દઈને, નુકશાન પહોંચાડે છે?* તમારી તંદુરસ્તી અને સ્વપ્નને હણે છે?* તમારાં ફૅમિલીને તમારાથી દૂર કરે છે?* તમારા ધંધાને નુકશાન કરે છે?* તમારા સમાજથી તમને દૂર કરે છે?* અત્યાર સુધી ટીવીથી કોઈ ફાયદો થયો છે?જો ઉપરના સવાલના જવાબ, તમને સાચા મળશે તો, તમે ટીવીના બંધાણથી છૂટકારો મેળવી શકો છો.જાણીતી ગાયિકા / ઍક્ટ્રેસ `મૅડૉના`, કહે છેકે,"
I only allows my family to watch a movie once a week.My kids don't watch TV. …We have televisions but they're not hooked up to anything but movies. TV is trash. I was raised without it, I didn't miss anything. TV is poison
."લો,કરો વાત..!! ટીવી પર રજુ થઈને રોટલો રળી ખાનાર જ જ્યારે આમ કહેતા હોય તો, આપણને `મૅડૉના` બેવકૂફ માને છે?* તમે અને તમારું કુટુંબ, કેટલા કલાક ટીવી જુવો છો, તેની નોંધ રાખો * ટીવી જોતી વખતે તમે અને તમારા કુટુંબના ફૉટા, લઈ તે કેવા અજુગતા દેખાય છે,તે તેમને બતાવો. ( કેટલાકના હાથમાં, જમવાનો કોળિયો, જેમનો તેમ રહેલો દેખાશે..!!)* જીવનમાં ટીવી જોવા સિવાય, તેજ સમય દરમિયાન, અન્ય લક્ષને, વણી લો.* ટીવી જ્યાં હોય તે રૂમમાંજ, મગજને અન્ય જગ્યાએ વાળી શકાય તેવી, પ્રવૃત્તિનાં સાધનો હાજર રાખો. દા.ત. ચેસ,કૅરમ, વિગેરે.* જરૂર પડે ટીવી સિવાયની અન્ય રમત કે પ્રવૃત્તિમાં, બાળકો અને વયસ્કોને, જીતવા બદલ ઈનામની ઘોષણા કરો.* સમગ્ર મકાનમાં માત્ર એકજ ટીવી વસાવો. ( દરેક રૂમમાં નહીં.)* કેટલાક પસંદગીના કાર્યક્રમ માટેજ ટીવી ઑન કરો.* મોટાભાગના કાર્યક્રમોનું રીપીટ ટેલિકાસ્ટ થાય જ છે. તમારો કામનો સમય ના બગાડો. * રિમોટ કંટ્રોલ ફેંકી દઈને, કાર્યક્રમ બદલવા, જગ્યાએથી ઉભા થવાની ટેવ રાખો.* ટીવીનું સ્થાન એવું રાખો,કે તે સમગ્ર ઘરને પ્રભાવિત ન કરે, જેથી કાર્યક્રમ શરૂ થવાના અવાજ માત્રથી, તે જોવા દોડી આવવાનું મન ન થાય.* ટીવી શરૂ કરવા, અનેક આવરણ (કવર) હટાવવાં પડે તેમ,તેને ઢાંકેલુ રાખો,જેથી તે ચાલુ કરવાનો કંટાળો આવે.* ટીવી સામે બેસીને ભોજન લેવાનું બંધ કરો.* ટીવીના કાર્યક્રમને રેકૉર્ડિંગ કરીને, અનુકુળ સમયે જોવાની આદત પાડો.* ટીવી જોતાં પહેલાં, તમને ગમતું કોઈપણ પુસ્તક, અખબાર કે લેખ વાંચવાનો નિયમ, ફરજિયાત કરો. શક્ય છે તેમાં રસ પડવાથી, ટીવી ઑન કરવાનું ટળી જાય..!!* એકના એક કાર્યક્રમ, રીપીટ થાય તો તેને જોવાનું ટાળો.* ટીવી કાર્યક્રમ,શરૂ થવાના સમયે જ બહાર લટાર મારવા નીકળી જાવ.* ટીવી જોતી વખતે, ટીવી સિવાય, અન્ય દ્રશ્ય પણ નજર આવે તેવું સ્થાન પસંદ કરો. દા.ત. ઓસરી કે ઘરનો ગાર્ડન.* જ્યોતિષ કે ફાલતુ, રાજકારણીઓ,નેતાઓની મુલાકાત (કે મુક્કાલાત) જોવાનું તો બંધ જ કરી દો...!! ( સોગિયા જણ ને, તે જોવાની છૂટછાટ છે..!!) * ઉપર દર્શાવેલા તમામ ઉપાય, એક માસ માટે, અમલમાં મૂકો, પછી આ ઉપાય કાયમ અસરમાં આવી જશે. ટૂંકમાં સાર એકે, કામ કરવાની જગ્યા, વાંચવાની જગ્યા (લાયબ્રેરી), બાથરૂમ, બેડરૂમ, કિચન, બેઠકરૂમને ટીવીના પ્રભાવથી મૂક્ત રાખો.* જો તમે ટીવી કાર્યક્રમ કરતાં, અગત્યનાં કાર્યને યાદ રાખશો તો ટીવીનું બંધાણ છૂટી જશે.* આવાં અગત્યનાં કાર્યને પ્રાથમિકતા આપશો તો, ટીવી જોવાનું ધીરે ધીરે ઢીલમાં પડી શકે છે.* તમે, દરરોજ ટીવી જોવાનું, કેટલો સમય ટાળી શક્યા તેવી નોંધ રાખશો તો, તેના આધારે, ટીવીનું બંધાણ છોડવામાં સરળતા રહેશે મિત્રો, જુના સમયમાં રેડિયો, ટીવીનું ચલણ અને ઉપલબ્ધિ નહિંવત્ હતી ત્યારે, દાદા-દાદી,બા-બાપુજી અને સમગ્ર કુટુંબ ભેગા મળીને, સાંધ્ય સમૂહપ્રાર્થના કરતા અને ત્યારબાદ જુની પૌરાણિક જીવન ઉપયોગી વાર્તાઓનો દોર શરૂ થતો.પરંતુ,જ્યારથી, બકવાસ વાર્તા-કથાઓના, દ્રશ્યશ્રાવ્ય રૂપાંતર કરી તેનો ટીવી શૉના નામે વેપલો શરૂ થયો છે...!! જ્યારથી, અન્ય બનાવટી કુટુંબ-કથાઓના કલાકારોએ , ઑવરઍક્ટીંગની ઈન્સ્ટીટ્યુટ શરૂ કરી હોય તેવો, ફાલતુ અભિનય કરીને બાળકો અને વયસ્કોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું છે.જ્યારથી, ઘરના વડીલો પોતેજ ટીવીના બંધાણી બનીને, બાળકોને ટીવીથી દૂર રહેવાની સૂફિયાણો ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે.ત્યારથી, ઘરસંસારમાં ઉદ્વેગ, અશાંતિ,માનસિક રોગ, આપઘાત અને ક્લેશનું પ્રમાણ અચાનક વધી ગયું છે..!!" અતિ સર્વત્ર વર્જયેત" તે ન્યાયે, આ લેખને પણ અહીંજ પૂર્ણ કરવામાં સારાસાર છે.આમેય, આપણું કહ્યું કોણ માનવાનું છે...!!તમેય, જરા તમારા ઘરમાં કહી જોજો..!! બધાં કહ્યું માનીને, ટીવી જોવાનું ઓછું કરે તો, મને જણાવશો ?, પ્લી....ઝ..!! હી..હી..હી...હી...!!
હાંકું ક્યારે, કાસળ કાઢું? ઓ સિરિયલ ફિવર..!!
મારું તને, મસળી કાઢું? ઓ સિરિયલ Kill Her..!!
પ્રિય મિત્રો,
હમણાં થોડા માસ અગાઉ, એક યુવા મિત્રનાં લગ્ન થયાં, બહારગામ હોવાથી હું, તે લગ્ન ઍટેન્ડ ન કરી શક્યો, તેથી એક દિવસ રાત્રીના, નવ વાગ્યાની આસપાસ, તેના લગ્નના અભિનંદન પાઠવવા,તેના વિશાળ બંગલે, હું પહોંચી ગયો.
મેં જોયુંકે, અલગ-અલગ રૂમમાં, ત્રણ થી ચાર ટીવી સેટમાં, અલગ-અલગ સિરિયલ્સના, મોટા અવાજથી, તે યુવા મિત્રના બંગલો, ગાજતો હતો અનેયુવા મિત્ર અને તેના આધેડ ઉંમરના પિતા, બંગલાની બહાર આવેલી, નાની અલાયદી, ગાર્ડન જેવી જગ્યામાં,બાંગ્લાદેશી નિરાશ્રિત જેવા, ભાવ ધારણ કરીને, એકલાઅટૂલા બેઠા હતા.
યુવા મિત્રને, લગ્નના અભિનંદન પાઠવીને, કવર આપવાનો વ્યવહાર પતાવ્યા બાદ, મારા માટે, જાતે પાણીનો ગ્લાસ લઈને આવેલા, યુવા મિત્રને, અમસ્તુંજ કહ્યું," અરે તમે શા માટે તસ્દી લીધી? આપનાં મિસિસને કહેવું હતુંને? આમ પણ, મારે તેમને, પ્રથમવાર મળવાની ઈચ્છા હતી, ક્યાં છે તે?" એટલું કહીને મેં, ભોળાભાવે, આસપાસ નજર કરી.
પેલા યુવા મિત્ર, ભોંઠા પડી ગયા અને પોતાની નવવિવાહિત પત્નીને બોલાવવા, બંગલામાં ચાલ્યા ગયા.
હવે, હું અને પેલા યુવા મિત્રના, પિતા બંને એકલા પડતાંજ, સમય પસાર કરવા, મને વળી કમતિ સૂઝીકે, ભોળાભાવે તેમને, મેં પ્રશ્ન કર્યો, " અંકલ, મને લાગે છેકે, આપને ટીવી જોવાનો શોખ નથી..!!
"બ.....સ...!! મારા માટે, ઘરની વહુ,દીકરીને બદલે, દીકરાને પાણી લઈને આવવું પડ્યું, તે જોઈ, મનમાં ક્યારનાય ધુંધવાઈ રહેલા, ઘરના વડીલ અંકલ, મારાથી કોઈ ઍટમબોંબની જામગરી ચંપાઈ ગઈ હોય અને જેમ જોરદાર ઘડાકા સાથે બોંબ ફૂટે, તેમ પેલા અંકલ ફાટ્યા.
" આ રાં...ડ....ની !! સિરિયલોએ તો, ઘરસંસારનો, દાટ વાળ્યો છે. સાલું..!! મારે ચ્હા-પાણી જોઈએ તો પણ, બ્રેકમાં મળે. રોજ સાંજ પડેને, બધી ચેનલોમાં કામ કરતાં બૈરાં, તાલેમાલે તૈયાર થઈને, એકમેક સાથે, મોંઢાં ને હોઠ વાંકાચૂકા કરીને, લઢવાનું ચાલું કરે તે, છેક આપણા પથારીમાં પડતા સુધી, એવડીઓની ઘાંટાઘાંટથી આખું ઘર ગાજે...!!
તેમણે આક્રોશથી ઉમેર્યું , " આપણા સગાંમાં, કોઈનો જન્મદિવસ હોય તે, કોઈને યાદ ના હોય પણ, કઈ સિરિયલમાં , કેટલા વાગે, કોનો ભવ્ય, મહા ઍપિસોડ આવવાનો છે, તે આ બધીયું યાદ રાખે..!!"
એટલામાં,પેલા યુવા મિત્ર, તેમની નવવિવાહિત પત્નીને લઈને આવ્યા. તેણે ઉતાવળે, મને પગે લાગવાનો અભિનય કર્યો, જોકે તે દરમિયાન પણ તે પત્નીની નજર, સિરિયલનો બ્રેક પુરો ન થઈ જાય, તેમાં હતી,તેમ મને લાગ્યું. આજ કારણે, તે આવી હતી, તેવીજ પરત રવાના થઈ. એની પાછળ - પાછળ કારણ વગર,પેલા યુવા મિત્ર પણ, અંદર ચાલતા થયા.રખેને...!! પેલા અંકલ, ગુસ્સાના ફૂટેલા બોંબમાંથી, મને અકળામણ થાય તેવો ધુમાડો, ફરીથી છોડવાનું શરૂ કરે, તે પહેલાં હવે ત્યાંથી રવાના થવાનું, મને ડહાપણભરેલું લાગ્યું. હું રજા લઈને, બંગલાની બહાર આવ્યો.જોકે, કોણ જાણે કેમ...!! પેલા યુવા મિત્રના, પિતાજી તો બોંબ ધડાકાની જેમ ફૂટ્યા તે સાવ સ્વાભાવિક લાગ્યું, પણ મને પેલા તાજા પરણેલા, યુવા મિત્રના ચહેરા, ચાલ, હાવભાવ અને રંગઢંગ પરથી, તેમના નવાસવા, લગ્નજીવનમાં પણ ,સાવ સુરસુરિયું થઈ ગયું હોય તેવો ભાસ થયો. આમતો બેચાર દિવસ પછી, તે યુવા મિત્ર મને મળતાંજ, મારાથી ન રહી શકાતાં, મેં તેને આ બાબતે પૂછ્યું તો તેણે, પોતાનો જે બળાપો કાઢ્યો, તે કુંવારા, પરણેલા અને રાંડેલા પણ ફરી લગ્નોત્સુક, તમામને માટે માર્ગદર્શકરૂપ હોવાથી, તેનાજ શબ્દોમાં રજૂ કરવાની, ધૃષ્ટતા આચરી રહ્યો છું. યુવા મિત્ર ઉવાચ; " જો મારી સલાહ માનો તો, જેમને તાજેતરમાં લગ્ન કરવાની ઈચ્છા હોય અને છોકરીઓ જોવા જતા હોય તે સર્વેને વિનંતીકે, *કન્યાને રાંધતાં આવડે છેકે નહીં ? કપડાંને ઈસ્ત્રી કરતાં આવડે છેકે નહીં? કે પછી અભ્યાસના અને તેના શોખના બારામાં, આલતુફાલતુ સવાલો કરવાને બદલે, * કન્યાને, ટીવી કેટલા કલાક જોવાનો શોખ છે? સિરિયલ જોવી ગમેકે ડિસ્કવરી ચેનલ? ન્યૂઝ ગમેકે, હૉરર ફિલ્મો? (DVD). આ પૂછપરછ કરવી વધારે હિતાવહ છે.* આ ઉપરાંત, ઘરમાં જમવાનું, સિરિયલ્સ વચ્ચેની બ્રેકમાં મળશેકે, સિરિયલ્સ શરૂ થતાં પહેલાં? (સાંજે છ વાગે?) તે ખાસ પૂછવું..!!* જો ટીવી સિરિયલ્સ, રાત્રે ૧૨.૦૦ સુધી ચાલવાની હોય તો, રાત્રે પ્રણયક્રિડાનો લાભ પણ, `બ્રેકાઈ, બ્રેકાઈ` ને મળશે કે સુવાંગ, સુંદર, અખંડ? (MOST IMP.)* સિરિયલ્સમાં આવતી, મોં - માથા વગરની કથા-વાર્તાની ચર્ચામાં, તમારે તેની સાથે ભાગ લેવો ફરજિયાત હશેકે, મરજીયાત ? (MOST IMP.)* સિરિયલ્સમાં બતાવેલાં, સાસુ - વહુનાં, એકબીજા વિરૂદ્ધનાં કારસ્તાન,ઘરમાં અમલમાં મૂકીને, તેનાં પરિણામમાં, તમને તો ઈન્વોલ્વ નહીં કરેને...!! (MOST IMP.)ટીવીનું બંધાણ એક રોગ ?મિત્રો, ટીવીનું બંધાણ એક રોગ છે. અમેરિકન ઍક્ટિવિસ્ટ અને લેખક -`Jerry Mander`, તેના ૧૯૭૭માં પ્રકાશિત થયેલા પુસ્તક,` Four Arguments for the Elimination of Television` માં ` ટીવીના બકવાસ કાર્યક્રમોના બંધાણી શું કહે છે..!!` તે દર્શાવતાં જણાવે છેકે, * મને ટીવીએ હિપ્નોટાઈઝ કર્યો હોય તેમ લાગે છે.* ટીવીએ, જાણે મારી તમામ જીવન શક્તિને હણી લીધી છે.* ટીવીએ મને ક્યાંયનો નથી રાખ્યો.* મને ટીવીએ ભાવશૂન્ય - જાદુથી જીવતી થયેલી લાશ જેવો કરી નાંખ્યો છે.* ટીવી ચાલુ હોય ત્યારે હું તેની સામેથી નજર હટાવી નથી શકતો. ડિરેક્ટર ઓફ ધ સેન્ટર ફોર મિડીયા સ્ટડીઝ - `MR. Robert Kubey`, ના જણાવ્યા પ્રમાણે ( (Scientific American, February 2002) , " "Television Addiction Is No Mere Metaphor,As one might expect, people who were watching TV when we beeped them reported feeling relaxed and passive." એકવાર, આશરે ૭૦ વર્ષના, એક કાકા સાથે આ અંગે ચર્ચા કરતાં તેમણે અકળાઈને કહ્યું," સાલું...!! તારી કાકીના રાંધવામાં પહેલેથી ઠાયો ન મળે તેથી આખી જિંદગી,તેના હાથનું રાંધેલું, કાચું પાકું ખાધું. હવે તેમને, સિરિયલ્સને કારણે, સાંજે રાંધવાનો ટાઈમ નથી.તેથી બજારનું પંજાબી, ચાઈનીઝ, વડા પાંઉં - ભાજી પાંવ, જેવું જથરવથર ખાઈને, મારું તો પેટ બગડી ગયું છે. " તેમણે અત્યંત દુઃખી અવાજે ઉમેર્યું," જમવાની જરૂર જ ના પડે તેવી કોઈ યોનિમાં, હવે તો નવો જન્મ મળે તો સારૂં...!!" બેચાર દિવસ માટે રહેવા આવતા મહેમાન, આજ કારણસર આવતા ઓછા થઈ ગયા છે. જોકે, કેટલાક મહેમાન તો આવે છેય ખરા અને નફ્ફટાઈથી, યજમાનના ઘરના ટીવીનો કબજો લઈને, ઘરના સદસ્ય, ખાસ કરીને બહેનોની નારાજગી વહોરી લે છે.સાયકૉલોજીકલ રિસર્ચ મુજબ, ટીવી નું બંધાણ,સાચેજ ચિંતાનું કારણ છે.ટીવીનું બંધાણ છોડવાના સરળ ઉપાય.આ માટે તમે શાંતિથી વિચારોકે, ટીવીનું બંધાણ તમને નીચે જણાવેલ બાબતો, ન કરવા દઈને, નુકશાન પહોંચાડે છે?* તમારી તંદુરસ્તી અને સ્વપ્નને હણે છે?* તમારાં ફૅમિલીને તમારાથી દૂર કરે છે?* તમારા ધંધાને નુકશાન કરે છે?* તમારા સમાજથી તમને દૂર કરે છે?* અત્યાર સુધી ટીવીથી કોઈ ફાયદો થયો છે?જો ઉપરના સવાલના જવાબ, તમને સાચા મળશે તો, તમે ટીવીના બંધાણથી છૂટકારો મેળવી શકો છો.જાણીતી ગાયિકા / ઍક્ટ્રેસ `મૅડૉના`, કહે છેકે,"
I only allows my family to watch a movie once a week.My kids don't watch TV. …We have televisions but they're not hooked up to anything but movies. TV is trash. I was raised without it, I didn't miss anything. TV is poison
."લો,કરો વાત..!! ટીવી પર રજુ થઈને રોટલો રળી ખાનાર જ જ્યારે આમ કહેતા હોય તો, આપણને `મૅડૉના` બેવકૂફ માને છે?* તમે અને તમારું કુટુંબ, કેટલા કલાક ટીવી જુવો છો, તેની નોંધ રાખો * ટીવી જોતી વખતે તમે અને તમારા કુટુંબના ફૉટા, લઈ તે કેવા અજુગતા દેખાય છે,તે તેમને બતાવો. ( કેટલાકના હાથમાં, જમવાનો કોળિયો, જેમનો તેમ રહેલો દેખાશે..!!)* જીવનમાં ટીવી જોવા સિવાય, તેજ સમય દરમિયાન, અન્ય લક્ષને, વણી લો.* ટીવી જ્યાં હોય તે રૂમમાંજ, મગજને અન્ય જગ્યાએ વાળી શકાય તેવી, પ્રવૃત્તિનાં સાધનો હાજર રાખો. દા.ત. ચેસ,કૅરમ, વિગેરે.* જરૂર પડે ટીવી સિવાયની અન્ય રમત કે પ્રવૃત્તિમાં, બાળકો અને વયસ્કોને, જીતવા બદલ ઈનામની ઘોષણા કરો.* સમગ્ર મકાનમાં માત્ર એકજ ટીવી વસાવો. ( દરેક રૂમમાં નહીં.)* કેટલાક પસંદગીના કાર્યક્રમ માટેજ ટીવી ઑન કરો.* મોટાભાગના કાર્યક્રમોનું રીપીટ ટેલિકાસ્ટ થાય જ છે. તમારો કામનો સમય ના બગાડો. * રિમોટ કંટ્રોલ ફેંકી દઈને, કાર્યક્રમ બદલવા, જગ્યાએથી ઉભા થવાની ટેવ રાખો.* ટીવીનું સ્થાન એવું રાખો,કે તે સમગ્ર ઘરને પ્રભાવિત ન કરે, જેથી કાર્યક્રમ શરૂ થવાના અવાજ માત્રથી, તે જોવા દોડી આવવાનું મન ન થાય.* ટીવી શરૂ કરવા, અનેક આવરણ (કવર) હટાવવાં પડે તેમ,તેને ઢાંકેલુ રાખો,જેથી તે ચાલુ કરવાનો કંટાળો આવે.* ટીવી સામે બેસીને ભોજન લેવાનું બંધ કરો.* ટીવીના કાર્યક્રમને રેકૉર્ડિંગ કરીને, અનુકુળ સમયે જોવાની આદત પાડો.* ટીવી જોતાં પહેલાં, તમને ગમતું કોઈપણ પુસ્તક, અખબાર કે લેખ વાંચવાનો નિયમ, ફરજિયાત કરો. શક્ય છે તેમાં રસ પડવાથી, ટીવી ઑન કરવાનું ટળી જાય..!!* એકના એક કાર્યક્રમ, રીપીટ થાય તો તેને જોવાનું ટાળો.* ટીવી કાર્યક્રમ,શરૂ થવાના સમયે જ બહાર લટાર મારવા નીકળી જાવ.* ટીવી જોતી વખતે, ટીવી સિવાય, અન્ય દ્રશ્ય પણ નજર આવે તેવું સ્થાન પસંદ કરો. દા.ત. ઓસરી કે ઘરનો ગાર્ડન.* જ્યોતિષ કે ફાલતુ, રાજકારણીઓ,નેતાઓની મુલાકાત (કે મુક્કાલાત) જોવાનું તો બંધ જ કરી દો...!! ( સોગિયા જણ ને, તે જોવાની છૂટછાટ છે..!!) * ઉપર દર્શાવેલા તમામ ઉપાય, એક માસ માટે, અમલમાં મૂકો, પછી આ ઉપાય કાયમ અસરમાં આવી જશે. ટૂંકમાં સાર એકે, કામ કરવાની જગ્યા, વાંચવાની જગ્યા (લાયબ્રેરી), બાથરૂમ, બેડરૂમ, કિચન, બેઠકરૂમને ટીવીના પ્રભાવથી મૂક્ત રાખો.* જો તમે ટીવી કાર્યક્રમ કરતાં, અગત્યનાં કાર્યને યાદ રાખશો તો ટીવીનું બંધાણ છૂટી જશે.* આવાં અગત્યનાં કાર્યને પ્રાથમિકતા આપશો તો, ટીવી જોવાનું ધીરે ધીરે ઢીલમાં પડી શકે છે.* તમે, દરરોજ ટીવી જોવાનું, કેટલો સમય ટાળી શક્યા તેવી નોંધ રાખશો તો, તેના આધારે, ટીવીનું બંધાણ છોડવામાં સરળતા રહેશે મિત્રો, જુના સમયમાં રેડિયો, ટીવીનું ચલણ અને ઉપલબ્ધિ નહિંવત્ હતી ત્યારે, દાદા-દાદી,બા-બાપુજી અને સમગ્ર કુટુંબ ભેગા મળીને, સાંધ્ય સમૂહપ્રાર્થના કરતા અને ત્યારબાદ જુની પૌરાણિક જીવન ઉપયોગી વાર્તાઓનો દોર શરૂ થતો.પરંતુ,જ્યારથી, બકવાસ વાર્તા-કથાઓના, દ્રશ્યશ્રાવ્ય રૂપાંતર કરી તેનો ટીવી શૉના નામે વેપલો શરૂ થયો છે...!! જ્યારથી, અન્ય બનાવટી કુટુંબ-કથાઓના કલાકારોએ , ઑવરઍક્ટીંગની ઈન્સ્ટીટ્યુટ શરૂ કરી હોય તેવો, ફાલતુ અભિનય કરીને બાળકો અને વયસ્કોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું છે.જ્યારથી, ઘરના વડીલો પોતેજ ટીવીના બંધાણી બનીને, બાળકોને ટીવીથી દૂર રહેવાની સૂફિયાણો ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે.ત્યારથી, ઘરસંસારમાં ઉદ્વેગ, અશાંતિ,માનસિક રોગ, આપઘાત અને ક્લેશનું પ્રમાણ અચાનક વધી ગયું છે..!!" અતિ સર્વત્ર વર્જયેત" તે ન્યાયે, આ લેખને પણ અહીંજ પૂર્ણ કરવામાં સારાસાર છે.આમેય, આપણું કહ્યું કોણ માનવાનું છે...!!તમેય, જરા તમારા ઘરમાં કહી જોજો..!! બધાં કહ્યું માનીને, ટીવી જોવાનું ઓછું કરે તો, મને જણાવશો ?, પ્લી....ઝ..!! હી..હી..હી...હી...!!
Thursday, July 1, 2010
PITASHRI NE AABHAR (FATHER CONTRIBUTION IN LIFE)
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ હોય છે?માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોયછે.પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો?પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયાછે.લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવેછે પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી.પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહેતો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએજ કરવાનું હોયછે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણાતેનાગંજીમાં પડ્યાછે”.તેમનોદાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડેછે.દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણપોતેતોજુનો લેંઘોજ વાપરશે.સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીનેજ દાઢી કરીલેતાં હોયછે.પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજતારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપેછે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડેછે
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.જો તેઓ કંઈપણ કરતા નહોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોયછે.અને ઘરના કામ જુવેછે,સંભાળે છે.માતા હોવી અથવાતો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું?
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે,તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?
પિતાનું મહત્વ કોને સમજાય છે?બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડેછે.તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે.પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે હોયછે ઘર ની દીકરી.સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાયછે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છાબાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજેપણ સમાજ માં નથી બનતા?દીકરી પિતાને ઓળખે છે,સાચવે છે.બીજાઓ પણ પોતાને આરીતે જાણે,ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે,જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર,ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
(જન્મભૂમી મુંબઈ ૨૦૦૫ માંથી)
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી.પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહેતો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએજ કરવાનું હોયછે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણાતેનાગંજીમાં પડ્યાછે”.તેમનોદાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડેછે.દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણપોતેતોજુનો લેંઘોજ વાપરશે.સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીનેજ દાઢી કરીલેતાં હોયછે.પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજતારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપેછે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડેછે
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.જો તેઓ કંઈપણ કરતા નહોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોયછે.અને ઘરના કામ જુવેછે,સંભાળે છે.માતા હોવી અથવાતો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું?
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે,તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?
પિતાનું મહત્વ કોને સમજાય છે?બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડેછે.તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે.પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે હોયછે ઘર ની દીકરી.સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાયછે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છાબાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજેપણ સમાજ માં નથી બનતા?દીકરી પિતાને ઓળખે છે,સાચવે છે.બીજાઓ પણ પોતાને આરીતે જાણે,ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે,જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર,ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
(જન્મભૂમી મુંબઈ ૨૦૦૫ માંથી)
Subscribe to:
Posts (Atom)